ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણ બાદ નવા મંત્રીઓને ખાતાની ફાળવણી થઈ, જાણો કોને કયુ ખાતું મળ્યું? Gujarat New Mantri Mandal
Gujarat Cabinet Reshuffle: ગુજરાતમાં 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ કરવાની જાહેરાત કરી દીધી છે. બુધવારે (16 ઑક્ટોબર, ગુરુવાર) રાજ્યના તમામ 16 મંત્રીઓએ રાજીનામા ધરી દીધા બાદ આજે, શુક્રવારે (17 ઑક્ટોબર) ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળ માટે શપથવિધિ યોજવામાં આવી.
યુવા ઊર્જાનો પ્રતિનિધિત્વ
રીવાબા બાદ કૌશિક વેકરિયાનું નામ બીજા સૌથી યુવા મંત્રી તરીકે સામે આવ્યું છે, તેમની ઉંમર 39 વર્ષ છે. ત્યાર બાદ હર્ષ સંઘવી અને પ્રવીણ માળી બંનેની ઉંમર 40 વર્ષ છે. તે ઉપરાંત સ્વરૂપજી ઠાકોર (43 વર્ષ) અને સંજયસિંહ (45 વર્ષ) પણ યુવા શ્રેણીમાં ગણાય છે. આથી સ્પષ્ટ થાય છે કે નવી કેબિનેટમાં 45 વર્ષથી ઓછી ઉંમરના ઓછામાં ઓછા છ ચહેરાઓનો સમાવેશ થયો છે, જે ભાજપના “યુવા નેતૃત્વ”ના સૂત્રને મજબૂત કરે છે.
જાણો કોને કયુ ખાતું મળ્યું
- હર્ષ સંઘવી- ગૃહ વિભાગ, રમત-ગમત અને સાંસ્કૃતિક
- કનુ દેસાઈ-નાણામંત્રી
- અર્જૂન મોઢવાડીયા- વન-પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ક્લાઈમેન્ટ ચેન્જ
- પ્રફુલ પાનસેરિયા-આરોગ્ય
- ઈશ્વર પટેલ-પાણી પુરવઠા અને જળસંપત્તિ
- કાંતિ અમૃતિયા-શ્રમ અને રોજગાર
- ત્રિકમ છાંગા- ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
- ઋષિકેશ પટેલ- ઊર્જા પંચાયત અને પેટ્રોકેમિકલ્સ
- દર્શના બેન વાઘેલા- શહેરી વિકાસ અને આવાસ
- જીતુ વાઘાણી-કૃષિ મંત્રી, મત્સ્ય વિભાગ
- સંજય મહિડા-
- પ્રદ્યમન વાજા-સામાજિક ન્યાય અને ઉચ્ચ શિક્ષણ
- નરેશ પટેલ-આદિજાતિ વિકાસ મંત્રી
- મનીષા બેન વકીલ-બાળ વિકાસ મંત્રી
0 Response to "ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણ બાદ નવા મંત્રીઓને ખાતાની ફાળવણી થઈ, જાણો કોને કયુ ખાતું મળ્યું? Gujarat New Mantri Mandal"
Post a Comment